Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"માં" સમાન માસ્તર સતત તણાવમાં રહે છે...
જામનગર તા. ૧૩: જામનગરના જાગૃત નાગરિક સુનિલભાઈ ઝાલાએ શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાયના અન્ય કામોમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી છે.
શિક્ષકો પોતાની બટકણી ચોકથી બ્લેકબોર્ડ પર લખતો હોય પણ વજ્ર જેવા મજબૂત સમાજનું નિર્માણ કરે છે. શિક્ષકોનું કામ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપી વિદ્યાર્થીના શ્રેષ્ઠ ભાવિ નિર્માણ કરવાનું છે. હાલના સમયે શિક્ષકોએ કામના બદલે ચૂંટણી કામગીરી, હવે જાતિ મુજબ વસ્તી ગણતરી, પોલીયો અભિયાન પર દેખરેખ, આધાર કાર્ડની ખરાઈ, શિષ્યવૃત્તિનું સરકારે આપેલું કાર્ય, મધ્યાન્હ ભોજનનું નિરીક્ષણ, અન્ય સરકારી યોજનાઓની નોંધણી હાલમાં એસ.આર.આઈ. જેવા ગતકડાંમાં બુથ લેવલ ઓફિસર તરીકે ડોર-ટુ-ડોર મતદારોને ફોર્મ પહોંચાડવા-મતદારોની નોંધણી અને ચકાસણી દેશ રાજ્ય અને કોર્પોરેટર અને પંચાયતની ચૂંટણીમાં મતદાન સમયે અને બાદમાં તમામ પ્રક્રિયામાં કામે લગાડી દે છે. જેનું માં જેવું સ્તર છે એટલે એને માસ્તર કહે છે. એ સતત તણાવમાં જ રહે છે. અને સરકારી શાળાના શિક્ષકોને પોતાના મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું છે, તે ઉપરોક્ત કાર્યમાં વ્યસ્ત રહેતો હોવાથી શાળાકીય કામ ૪૦ થી ૫૦ ટકા કામ કરી શકે છે. આથી, વિદ્યાર્થીઓના ટ્યુશનના સહારા વિના શૈક્ષણિક પાયો નબળો જ રહે છે. જાણકારોના મતે બિન શૈક્ષણિક પ્રવૃત્તિ શિક્ષકોનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગાડે છે અને પોતાનું સન્માન પણ ગુમાવે છે. હાલ શાળામાં જરૂરી શિક્ષક સ્ટાફ પણ હોતો નથી. એક શિક્ષકે એક થી વધારે વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવું પડે છે. સાથો સાથ ઓછો પગાર મેળવતો શિક્ષક વધતી મોંઘવારીમાં ટયુશન પણ આપી શકતો નથી અને સામાન્ય મજૂરથી બદતર જીવન જીવે છે.
બિન શૈક્ષણિક પ્રવૃત્તિ-કામગીરી સરકારે એટલી બધી સોંપી દે છે કે અમુક શિક્ષકોએ કામગીરી સિવાય વચ્ચે-વચ્ચે ક્યારેક શાળાએ ભણાવવા આવતા હોય તેવું લાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial