Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય કિસાન સંઘ અને કિસાન કોંગ્રેસ આમને-સામનેઃ
ખંભાળીયા તા. ૧૩: ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકીને ૧૨-૧ નું આંદોલન રદ કરવાની જાહેરાતની આકરી ટીકા કરી છે.
તેમણે જણાવેલ કે સરકાર સાથેની કિસાન સંઘની મિટિંગમાં સરકારે કઈ ૧૨ માંગણીઓ સ્વીકારી તે જાહેર કરવા માંગ કરીને વધુ કિસાનોની જમીન માપણીની સમસ્યા હલ કરી ? ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને પોલના કરોડો આપે ? સરકાર બજારભાવથી ચાર ગણું વળતર આપશે ? પાક વિમા યોજના સરકારી કંપની ફરીથી શરૂ કરશે ? ગુજરાતના ખેડૂતોનું દેવું સરકાર માફ કરશે ? સરકાર એમ.પી.નો કાયદો બનાવશે ? નકલી ખાતર-બિયારણનું વેચાણ બંધ થઈ જશે ? ખાતર સાથે ફરજિયાત અપાતા નેનોના ડબલા બંધ થશે ? ઉત્તર ગુજરાતનું પંદરસો ફૂટ તળનું પાણી ૫૦૦ ફૂટે આવી જશે ? આ એકેય સમસ્યાનું સમાધાન કિસાન સંઘ તો લાવ્યું નથી, માત્ર ખેડૂતોમાં આક્રોશ ઉભો થાય તે શાંત કરવા સરકારને મદદ કરે છે. ખાનગી કંપનીઓને મદદ કરવાથી કિસાન સંઘને શું ફાયદો થયો તે જાહેર કરવા અને આવા કાર્યોથી ખેડૂતોની પીઠ પર ખંજર ભોંકવાનું કાર્ય કિસાન સંઘ કરતું હોવાની પરંપરા અને ઈતિહાસનું પુનરાવર્તન થયાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial