Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જન્મ દિવસે રક્તદાન કેમ્પ સહિત પાંચ સેવા પ્રકલ્પોનું આયોજન

આગામી તા. ૧૪ જાન્યુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા પછી પોતાના સતત ચોથા જન્મ દિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે કરવામાં આવશે. જેના ભાગરૂપે તા. ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે પંચવિધ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીતનગરમાં  કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં સવારે ૯ વાગ્યે મહા રક્તદાન કેમ્પ, ૭૯-વિધાનસભા વિસ્તારની તમામ આંગણવાડીના બાકી રહેલા કુપોષિત ૬૧ બાળકોને સુપોષિત બનાવવા તેમજ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ લાવવાના ભાગરૂપે બહેનોની મેમોગ્રાફી અભિયાનને આગળ ધપાવવા તેમજ ધ કેચ ધ રેઈન પ્રોગ્રામ અંતર્ગત જામનગરના ૩૦૦૦ એકમોમાં અમલવારી કરાવવાનો નિર્ધાર તેમજ પ્લાસ્ટીક મુક્ત જામનગર સહિતના પાંચ સેવાયજ્ઞનું આયોજન કરાયું છે. ધારાસભ્ય બન્યા પછી પ્રથમ જન્મદિને રક્તદાન કેમ્પ યોજીને ૫૨૫ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવનારા સૌરાષ્ટ્રભરના ગરીબ દર્દીઓ માટે તેમજ થેલેસેમિયાના બાળકો માટે જી.જી.હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવાયું હતું.

ધારાસભ્ય દિવ્યેશભાઈના પ્રથમ જન્મદિવસે આંગણવાડીના ૨૫૧ કુપોષિત બાળકોને દત્તક લેવાયા બાદ અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ બાળકો સુપોષિત બન્યા છે, અને હાલ બાકી રહેલા ૬૧ બાળકોને દત્તક લેવાયા છે. જેથી ૭૯-વિધાનસભા વિસ્તારના તમામ બાળકો સુપોષિત થયા છે. ઉપરાંત સ્તન કેન્સરની જાગૃતિ અર્થે જામનગર શહેરના ૧૮૬૭ બહેનોને જાગૃત કરીને તેઓના મેમોગ્રાફી સ્ક્રિનિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૫ બહેનોના પોઝિટિવ ટેસ્ટ મળ્યા હતા. આગળની સારવાર માટે ધારાસભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથોસાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સરની જાગૃતિ લાવવાના ભાગરૂપે બહેનોની મેમોગ્રાફીનું અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના અતિ મહત્ત્વના કેચ ધ રેઈન પ્રોગ્રામ અંતર્ગત જામનગરના ૩૦૦૦ જેટલા એકમોમાં અમલવારી કરાવવાનો નિર્ધાર કરાયો છે. તેમજ જામનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન સહિતના પાંચ પ્રકલ્પો હાથ ધરાશે.

ઉપરોક્ત સમગ્ર પંચવિધિ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ એકત્ર થાય, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh