Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનિંગ બેચનો થશે પ્રારંભ

ટ્રેનિંગ પૂર્ણ થયા પછી માનદ્ વેતન પણ અપાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા યોગ ટ્રેનિંગ બેચનો પ્રારંભ થવા જઈ રહૃાો છે. જેમાં યોગા ની સંપૂર્ણ ટ્રેનીંગ આપવામાં આવશે, અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ માનદ વેતન પણ મળશે, તેવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનિંગ માટેના નવા બેચનો પ્રારંભ કરવામાં આવી રહૃાો છે. જામનગરની સરદાર પટેલ સ્કૂલમાં યોગ ટ્રેનિંગ બેચનો પ્રારંભ થવા જઈ રહૃાો છે. જામનગર શહેરના યોગ કરવા ઈચ્છતા કોઈપણ નાગરિકો, શાળા- કોલેજમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ કોલેજીયન યુવાનો ઉપરાંત શારીરિક રીતે ફીટ અને રસ ધરાવતા તમામ વ્યક્તિઓ આ યોગ ટ્રેનિંગ માં ભાગ લઈ શકે છે. અંબર સિનેમા ના પાછળના ભાગમાં સરદાર પટેલ સ્કૂલ ના ગ્રાઉન્ડમાં પ્રતિદિન સવારે બે બેચ તેમજ સાંજે બે બેચ યોજવામાં આવશે. આ યોગ ટ્રેનિંગમાં જોડાવવા ઇચ્છતા કોઈપણ નાગરિકોને યોગની ટ્રેનિંગ અપાયા બાદ માનદ  વેતન પણ આપવામાં આવશે. જેમાં જોડાવા ઇચ્છતા વ્યક્તિઓએ જામનગર જિલ્લા યોગ બોર્ડના કોઓર્ડીનેટર હર્ષિતા મહેતા (૮૮૪૯૮ ૧૫૫૧૦)નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh