Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૫૦-૫૦ હજારનો દંડઃ
જામનગર તા.૩૧: જામનગરના ત્રણ શખ્સ સામે કેટલાક વર્ષ પહેલાં આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો હતો તે કેસમાં અદાલતે દસ-દસ વર્ષ ની કેદ અને રૂ.૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના બાલુભાઈ દેવાભાઈ કનારા, પરેશ ભાયાભાઈ હાથલીયા તથા અનિલ ભાયાભાઈ હાથલીયા નામના ત્રણ શખ્સ સામે આત્મ હત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે થોડા વર્ષ પહેલાં ગુન્હો નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૦૬ તથા ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ ભારતીબેન વાદીની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦ હજારનો વ્યક્તિગત દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. દંડની રકમ વળતર પેટે મૃતકના માતાને ચૂકવવામાં આવશે. સરકાર પક્ષે પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial