Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વિસ્તારોમાં ૧૦૧ જેટલા સ્થળોએ પક્ષીઓ માટે
જામનગર તા. ૩૧: મુંબઈ/ભીવંડીના હાલારી વિશા ઓશવાળ સમાજના દાતાઓ વેલુબેન હરખચંદ ગોસરાણી, (૮૪ બાચકા), અમૃતબેન નેમચંદ ગુઢકા (૮૪ બાચકા), મુકતાબેન પાનાચંદ ગુઢકા (૮૪ બાચકા), મણીબેન મેઘજી ગડા (૬૭ બાચકા), હસમુખભાઈ (૧૭ બાચકા દ્વારા બાજરો બાચકા ૩૦ મળી એક ટ્રક (૧૦.૬૩ ટન) ચણ પક્ષીઓ માટે દાન કરવામાં આવ્યું છે.
આ ચણનું દાન મેળવવા જામનગર જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી ચલાવતા ચણ વિતરણ પ્રવૃત્તિના મુખ્ય સંચાલક મૂળ ગામ-ટીંબડીના હાલ મુલુન્ડ રહેતા હાલારી વિશા ઓશવાળ સમાજના આગેવાન કાંતિલાલ મેપાભાઈ કરમણભાઈ ગડા તથા તેમના પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
આરાધના ધામ બાપા સીતારામ મઢુલીથી શરૂ કરી, ફુલેલીયા હનુમાન મંદિર, જુની આવળ માતાજીનું મંદિર દ્વારકા હાઈવે તથા વગેરે ગામડાઓ, મંદિરો, આશ્રમો, દરગાહો, અંતરીયાળ વાડી વિસ્તારો તથા જંગલ વિસ્તારો વિગેરેમાં કુલ ૧૦૧ સ્થળોએ એડવોકેટ નાનજીભાઈ સોનગરા મારફત એક ટ્રક ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોનકંસારીના ડેરા, તા. ભાણવડ છ બાચકા ચણ મોકલવામાં આવ્યું હતું. જયાં સાંઢીયા મારફત ચણ પહોંચાડવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial