Advertisement
Author: નોબત સમાચાર

ચોટીલા પાસે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની કારને નજીવો અકસ્માત નડ્યો

સદ્નસીબે બચાવ અને સંપૂર્ણ સલામત

જામનગર તા. ૩૧: રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ગત્ રાત્રિએ ગાંધીનગરથી જામનગર પોતાની મોટરકારમાં આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા પાસે એક હોટલ પાસે રસ્તો ક્રોસ કરતી વેળાએ એક ટ્રકની બ્રેક ઢીલી થઈ જવાથી મંત્રીની મોટરકાર સાથે અથડાયો અને નજીવો અકસ્માત થયો હતો. આ અંગે રાઘવજીભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે સાવ નાનો અકસ્માત થયો અને મોટરકારને પણ ખાસ નુક્સાન થયું નથી. તેમજ સદ્નસીબે કોઈ મોટો અકસ્માત થયો નહી અને મોટરકારના ડ્રાઈવર તેમજ રાઘવજીભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરાને કોઈ કરતા કોઈ ઈજા થઈ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh