Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં વૃદ્ધે અકળ કારણથી કરી લીધુ વિષપાનઃ નિપજ્યું મૃત્યુ

પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું:

જામનગર તા.૩૧ : લાલપુરમાં રહેતા એક વૃદ્ધે ગઈકાલે અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

લાલપુર શહેરમાં ઢાંઢર નદી પાસે આવેલા જૂના આંબેડકર વાસ નજીક વસવાટ કરતા ગાંગાભાઈ સોમાભાઈ ચાવડા (ઉ.વ.૬પ) નામના વૃૃદ્ધે કોઈ અકળ કારણથી ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા પછી પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ઝેરી દવાની શીશી મોઢે માંંડી લીધી હતી.

દવાની ઝેરી અસર થવા લાગતા તેમના પરિવારને જાણ થઈ હતી અને ગાંગાભાઈને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ વૃદ્ધનું મોડીરાત્રે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર અરવિંદભાઈએ પોલીસને જાણ કરી છે.

લાલપુરના જમાદાર એ.એમ. જાડેજાએ અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh