Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી પિતાની રિમાન્ડની તજવીજઃ
જામનગર તા.૩૧ : જામનગરના રણજીતસાગર રોડ પર જડેશ્વર ચાર રસ્તા પાસે સોમવારની રાત્રે રૂ.૧૦ હજારની ઉઘરાણીના પ્રશ્ને એક યુવાનની હત્યા થઈ હતી. તેમાં સંડોવાયેલા એક શખ્સ તથા તેના સગીર પુત્રની પોલીસે અટક કરી છે. કાયદાથી સંઘર્ષિત કિશોરને બાળસુધાર ગૃહમાં ખસેડાયો છે અને તેના પિતાને રિમાન્ડ પર લેવાની પોલીસે તજવીજ શરૂ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્કના ચાર રસ્તા પાસે ત્રણેક દિવસ પહેલાં શબ્બીર ઉર્ફે સદામ ઈકબાલભાઈ થૈયમ નામના રિક્ષાચાલક પર રૂ.૧૦ હજારની ઉઘરાણી કરવાના પ્રશ્ને ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ તથા તેના સગીર પુત્રએ છરી વડે હુમલો કર્યાે હતો.
એક રિક્ષાચાલકને હાથ ઉછીની આપેલી રૂ.૧૦ હજારની રકમ પરત માંગવા ગયેલા શબ્બીરભાઈની હત્યા થઈ ગઈ હતી. તેણીના પત્ની અક્સાબેન થૈયમે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. તેમાં ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે વોચ ગોઠવી આરોપી ધર્મેન્દ્રસિંહ તથા તેના સગીર પુત્રની ધરપકડ કરી લેવાઈ છે. સગીરને બાળસુધાર ગૃહમાં ખસેડવામાં આવ્યો છે અને તેના પિતાને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial