Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલઃ ખેડૂતો સાથે કર્યો સંવાદ

હાપા યાર્ડમાં અત્યાર સુધીમાં પ૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદીઃ મંત્રીશ્રી

જામનગર તા. ૩૧: રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી, અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી પ૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા ર૦૦ મણ મગફળી ખરીદવામાં આવે છે અને બજાર ભાવો કરતા એક મણના ૩૦૦ થી ૩પ૦ રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જગતના તાતને તેના પાકના પોષણક્ષમ ભાવો મળે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હેતુ છે અને ટેકાના ભાવે પાકોની ખરીદ પ્રક્રિયાથી આ હેતુ સિદ્ધ થઈ રહ્યો છે. મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh