Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ બસ પર પણ પથ્થર ફેંકાયાઃ
જામનગર તા.૩૧ : જામજોધપુરથી પ્રયાગરાજ જઈ રહેલા યાત્રાળુઓની એક બસ સહિત ચાર યાત્રાળુ બસ પર રાજસ્થાનના ભરતપુર શહેર પાસે પથ્થરમારો થતાં ચકચાર જાગી છે.
જામજોધપુરથી કેટલાક શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં કુંભ સ્નાન માટે લઈ જવા માટે કેટલીક બસો રવાના થયા પછી ગુજરાત રાજ્યમાંથી પણ પ્રયાગરાજ જઈ રહેલી બસો રાજસ્થાનના ભરતપુર પાસેથી પસાર થઈ રહી હતી.
આ વેળાએ કોઈ શખ્સોએ જામજોધપુરના યાત્રીકોની બસ અને રાજસ્થાનની એક બસ તેમજ ગુજરાત રાજ્યમાંથી આવેલી અન્ય બે બસ પર કોઈ કારણથી પથ્થરમારો કર્યાે હતો. જેના કારણે આ બસોના કાચ ભાંગીને ભૂક્કો થઈ ગયા હતા. બનાવના સ્થળથી બે કિલોમીટરના અંતરે આવેલી પોલીસની ચેકપોસ્ટ પર પહોંચેલી બસો થંભાવવામાં આવી હતી અને પોલીસને તેની જાણ કરાઈ હતી. ઉપરોક્ત મામલે રાજસ્થાન પોલીસે તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial