Advertisement
Author: નોબત સમાચાર

ઈ-કેવાયસી નહીં કરાવનાર રેશનકાર્ડ ધારકોને મફત રાશનનો લાભ નહીં

રેશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકાઃ

નવી દિલ્હી તા. ૩૧: ભારત સરકાર દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાહત ભાવે રાશન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ છે. સરકાર તરફથી મફત રાશનની સુવિધાનો લાભ તમામ લોકોને મળતો નથી. આ માટે સરકારે યોગ્યતાના માપદંડો નકકી કર્યા છે. જેઓ તે પાત્રતા પૂર્ણ કરે છે તેમને જ સરકાર તરફથી લાભ આપવામાં આવશે.

ભારત સરકારે રેશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત માત્ર કેટલાક રેશનકાર્ડ ધારકોને જ લાભ મળી શકશે. ૧૫ ફેબ્રુઆરી પછી રેશનકાર્ડ ધારકોને રાશનની સુવિધાનો લાભ નહી મળે. સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન નહીં મળે. ઈ-કેવાયસી દ્વારા સરકાર નકલી રેશનકાર્ડધારકોને ઓળખી રહી છે. તેમને આ યોજનામાંથી બાકાત કરી રહી છે. જેથી ખરેખર જરૂરી યાતમંદોને આ યોજનાનો લાભ મળે. આથી જરૂરિયાતમંદોએ ઝડપથી ઈ-કેવાયસી કરાવવું પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh