Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહમદ યુસુફ દાઉદ જુમાણી પરિવાર દ્વારા આયોજનઃ
જામનગર તા. ૩૧: આગામી તા. ર-ર-ર૦રપ, રવિવારના મૂળ જોડિયાના અને હાલ દુબઈ સ્થાયી થયેલ મહમદ યુસુફ દાઉદ જુમાણી પરિવાર તરફથી જોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ફ્રી સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું હુન્નરશાળા જોડિયામાં આયોજન કર્યું છે. આ કેમ્પમાં જામનગરના ખ્યાતનામ તબીબો નિદાન અને સારવાર આપશે.
આ કેમ્પમાં તબીબોમાં દુબઈથી આવેલા દાતા પરિવારના જ તબીબ ડો. આદિલ ઈમ્તિયાઝ જુમાણી અને ડો. સાનિયા મહમદ યુસુફ જુમાણી પણ સેવા આપશે. આંખના રોગોના નિષ્ણાત ડો. અમિત મહેતા, કીડનીને લગતા રોગોના નિષ્ણાત ડો. મિતેન મહેતા, હૃદય, ફેફસા, ડાયાબિટીસ, બ્લડપ્રેશરના નિષ્ણાત ડો. અલ્કેશ પાટલિયા અને ડો. વસીમ અલ્વારે, કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત ડો. ભાવેશ મહેતા, હાડકા, મણકા સાંધાના રોગોના નિષ્ણાત ડો. અપૂર્વ ડોડિયા, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. પુર્વી ડોડિયા, દાંતના સર્જન ડો. જનક એચ. માંગુકિયા, વાંકાચૂંકા દાંતના નિષ્ણાત ડો. એસ.એસ. દલ સેવા આપશે.
જોડિયાની સેવાભાવી સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં સવારે ૯ થી બપોરે ૧ સુધી આયોજીત આ કેમ્પમાં આવશ્યક દવાઓ પણ દાતા પરિવાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. આંખના મોતિયાના ઓપરેશન જામનગરમાં ડો. અમિતભાઈ મહેતાની હોસ્પિટલમાં દાતા પરિવાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા મહમદ યુસુફ દાઉદ જુમાણી દાતા પરિવાર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial