Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ

કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ર૯: કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૩૧ ના રવિવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન ભાટિયાના સરકારી દવાખાનામાં યોજવામાં આવ્યો છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરની ટીમ આ કેમ્પમાં સેવા આપશે. મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ (રાજકોટ) મોકલવામાં આવશે, જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૪ ર૦૧૧૧ નો સંપર્ક કરવો. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh