Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી
જામનગર તા. ૨૯: જામનગરના કચરાના ઢગલામાં લાગેલી આગ પાંચથી છ દિવસે કાબુમાં આવી હતી. જ્યારે સતત ધુમાડાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગના આ બનાવ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગાંધીનગર સુધી અહેવાલ મોકલ્યો છે. હવે જોવાનું એ છે કે કેવા પગલાં લેવાય છે.
જામનગરના ગુલાબનગર માર્ગે મહાનગરપાલિકાનો ડમ્પીંગ પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલાં આ ડમ્પીંગ પોઈન્ટના ઢગલામાં આગ લાગી હતી. લગભગ પાંચથી છ દિવસ સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતાં. પરિણામે આજુબાજુના રહેણાક વિસ્તાર-ખેતરોમાં રહેતા લોકોને આંખની બળતરા અને અન્ય પરેશાની પડી હતી. આગને કાબુમાં લેવા લાખો લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ પછી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને સંપૂર્ણ અહેવાલ ઉપરી કચેરીને ગાંધીનગર મોકલ્યો છે.
જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ કચરાની આ સાઈટ બંધ કરવામાં આવી હતી અને કચરા પ્રોસેસનો પ્લાન્ટ કાર્યરત કરી તમામ કચરો ત્યાંજ મોકલવામાં આવ્યો હતો. પરંતુ થોડો સમય ચાલુ રહ્યા પછી એ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ તે પ્લાન્ટને સંચાલક કંપનીને નોટીસો પાઠવી હતી પરંતુ પ્લાન્ટ ચાલુ જ કરવામાં આવ્યો જ નહીં જો કે પ્લાન્ટને પુનઃ શરૂ કરવા કમિશનર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial