Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નવનિર્મિત ઓવરબ્રિજ નીચે વાયરીંગના વાયરો શોર્ટ સર્કીટથી સળગ્યા

કનસીલ્ડ વાયરીંગ માટે 'નોબત'એ દોર્યું હતું ધ્યાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના નવનિર્મિત ઓવરબ્રિજ નીચે જૂના રેલવે સ્ટેશન પાસેના ભાગમાં બહારથી કરવામાં આવેલા લાઈટીંગના વાયરીંગમાં આજે સવારે કોઈ રીતે શોર્ટ સર્કીટ થતાં વાયરો સળગી ઉઠ્યા હતા. ધસી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગને વધુ પ્રસરતી અટકાવી હતી.

જામનગરમાં સુભાષ બ્રિજથી માંડી સાત રસ્તા અને જનતા ફાટક તેમજ ઓશવાળ સેન્ટરના મુખ્ય દરવાજા સુધી બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું હજુ સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તે પછી આજે સવારે જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસના ઢાળીયા પાસેના ઓવરબ્રિજના ભાગમાં વાયરમાં આગનું છમકલુ થયું હતું.

કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ઓવરબ્રિજમાં કનસીલ્ડ વાયરીંગ કરવામાં આવ્યું નથી. તે બાબતે 'નોબત' દ્વારા જે તે વખતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં બહારથી કરાયેલા વાયરીંગથી પુલને ઝગમગતો બનાવવામાં આવ્યો છે. તે વાયરીંગમાં આજે કોઈ રીતે શોર્ટ સર્કીટ થતાં આગ જોવા મળી હતી અને કોઈએ ફાયરબ્રિગેડને તેની જાણ કરી હતી. દોડી ગયેલી ફાયરની ટીમે આગને વધુ પ્રસરતા અટકાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh