Advertisement
Author: નોબત સમાચાર

સગીરાનું અપહરણ કરી રાજસ્થાન નાસી ગયેલા આરોપીની દ્વારકા પોલીસ દ્વારા અટક

ઉદયપુર ધસી ગયેલી પોલીસને મળી સફળતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: દ્વારકામાં એક સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો. જેમાં રાજસ્થાનના ઉદયપુરના એક શખ્સનંુ શકદાર તરીકે નામ આપવામાં આવ્યું હતું. તપાસમાં રહેલી પોલીસ ટીમે બાતમીના આધારે ઉદયપુર ધસી જઈ ત્યાંથી આ સગીરા તથા આરોપીને પકડી પાડ્યા છે અને દ્વારકા ખસેડ્યા છે.

દ્વારકા શહેરના ૫ોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં એક સગીરાના અપહરણની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનના ઉદયપુરના વતની શખ્સનું શકદાર તરીકે નામ આપવામાં આવ્યું હતું. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવતા અને ઉદયપુર તેમજ ભોપાલ સાગર, દોલન વગેરે સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આરોપી લક્ષ્મણદાસ રમેશદાસ રંગાસ્વામી (ઉ.વ.રપ) ઉદયપુરમાં આ સગીરા સાથે હોવાની વિગતો મળતા પીઆઈ એ.આર. બારસીયા ની સૂચનાથી પીએસઆઈ કે.કે. મારૂ તથા સ્ટાફ ઉદયપુર દોડી ગયા હતા.

ત્યાંથી આરોપી લક્ષ્મણદાસ તથા તેની સાથે રહેલી સગીરા મળી આવ્યા હતા. બંનેને દ્વારકા ખસેડવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh