Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોતિયાના ઓપરેશનો પણ કરાવી અપાશે
ભાટીયા તા. ૨૫: ભાટીયામાં તા. ૩૦-૧૧-૨૫ના ૧૨૪મો મોતીયાના ઓપરેશન સાથેનો વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.
કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના આર્થિક સહયોગથી અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ (આંખની હોસ્પિટલ) રાજકોટના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આ કેમ્પમાં નિદાન કરવામાં આવશે. તા. ૩૦-૧૧-૨૫ ના મોતીયાના ઓપરેશન સાથે ૧૨૪મા કેમ્પનું આયોજન ભાટીયાના સરકારી દવાખાનામાં સવારે ૯ થી ૧૧ દરમ્યાન વિનામૂલ્યે રાખવામાં આવેલ છે. મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. તથા દર્દીઓને રહેવા-જમવા, ચા-નાસ્તો, દવા-ટીપાં તથા ઓપરેશનની તમામ સારવાર વિનામૂલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા પરત મુકવામાં આવશે.
આ માટે દરેક દર્દીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ નકલ બે કોપી ફરજીયાત સાથે લાવવાની રહેશે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. વધુ માહિતી માટે મો. ૯૪૨૭૪ ૨૦૧૧૧નો સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial