Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સરકારની કેબિનેટમાં ચર્ચા
જામનગર તા. ર૬: શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી રાહત આપવાની માંગણી પછી ગઈકાલે મળેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, અને શિક્ષકોને રાહત મળે તેવા સંકેતો મળી રહ્યાં છે. બીએલોની કામગીરીમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવતા તેની વિપરીત અસર બાળકોના શિક્ષણમાં થઈ રહી છે.
ઉપરોક્ત વધતા કામના ભારણથી શિક્ષકો અનેક પ્રકારની મુશ્કેલી નડી રહી છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ શિક્ષક સંઘો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષકોને રાહત આપવા માંગણી-રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે રાજય સરકારની કેબિનેટની બેઠક મળી હતી. તેમાં શિક્ષકો સહિતના પ્રશ્ને ચર્ચા થઈ હતી અને આ બાબતે ચૂંટણી પંચને માહિતગાર કરવામાં આવ્યા છે. આમ આ મુદ્દે સફળતા મળે તેવા સંકેતો મળ્યા છે.
બીએલઓ માટે અન્ય વ્યવસ્થા થશે અને ધીમેધીમે શિક્ષકો ઉ૫ર આ કામગીરીનું ભારણ હળવુ કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial