Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મોબાઈલ તથા રિવોલ્વર જેવું લાઈટર લૂંટી હુમલાખોરો પલાયનઃ
જામનગર તા. ૨૪: જામનગરથી આજે સવારે પોણા પાંચેક વાગ્યે વડોદરા જવા માટે ઉપડેલી ઈન્ટરસિટી ટ્રેન જ્યારે પડધરી નજીક પહોંચવા આવી ત્યારે એક ડબ્બામાં રહેલા ચાર બુકાનીધારી હિન્દીભાષી શખ્સોએ તે ડબ્બામાં રહેલા નિવૃત્ત પોલીસ અધિકારી પર કોઈ બાબતે ઉશ્કેરાઈને હુમલો કરી માથામાં ફાયર સેફ્ટીનો બાટલો ફટકારી દીધો હતો. તે પછી આ વૃદ્ધના બે મોબાઈલ તથા રિવોલ્વર જેવું લાગતું લાઈટર લૂંટી ચારેય હુમલાખોર પલાયન થઈ ગયા છે. બનાવની રેલવે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. ઈજાગ્રસ્તને રાજકોટ દવાખાને ખસેડાયા છે.
જામનગરમાં વસવાટ કરતા અને પોલીસ વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ આજે સવારે પોણા પાંચેક વાગ્યે જામનગરથી વડોદરા માટે દોડતી ઈન્ટરસિટી ટ્રેનમાં અમદાવાદ જવા માટે રવાના થયા હતા.
આ ટ્રેન અંદાજે સાડા પાંચેક વાગ્યે જયારે પડધરી નજીક પહોંચી ત્યારે ચારેક જેટલા હિન્દીભાષી અને બુકાની પહેરેલા શખ્સોએ કોઈ કારણથી ઝઘડો કર્યા પછી ધર્મેન્દ્રસિંહ પર હુમલો કર્યાે હતો.
હુમલાખોરોમાંથી એક શખ્સે ટ્રેનના ડબ્બામાં રાખવામાં આવેલા ફાયર સેફ્ટીના બાટલાને ઉઠાવી લઈ ધર્મેન્દ્રસિંહ પર હલ્લો કર્યાે હતો. જેમાં આ વૃદ્ધને માથા તેમજ જમણી આંખ નીચે ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોરો ધર્મેન્દ્રસિંહ પાસે રહેલા બે મોબાઈલ ફોન અને સિગારેટ સળગાવવાના કામમાં લેવાતા લાઈટરની લૂંટ ચલાવી નાસી ગયા હતા. ધર્મેન્દ્રસિંહ પાસે રિવોલ્વર જેવું લાઈટર હતું તે લાઈટરને રિવોલ્વર સમજીને હુમલાખોરો ઉઠાવી ગયા છે.
ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને રાજકોટ સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ધર્મેન્દ્રસિંહ છેલ્લે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હતા ત્યાંથી રિટાયર્ડ થયા પછી હાલમાં જામનગર વસવાટ કરતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial