Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારની રાવ
ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા પાલિકા વિસ્તારમાં રોડ રીસરેસીંગના થતા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય, તથા નિયમ મુજબના માલ વગર કામ થતું હોય, આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા ચાલતા કામોની મુલાકાત લેતા અત્યંત નબળા કામો રીસરફેસીંગના થતા હોય, તાકીદે આવા કામો બંધ કરીને બીલો ના ચૂકવવા ચીફ ઓફિસર તથા પ્રાદેશિક-ન.પા. નિયામકને ફરિયાદ કરી છે.
'આપ' ની જનતા રેડ
ખંભાળીયામાં પાલિકા દ્વારા ભગવતી હોલની સામે શેરીમં થતા સીસી રોડની જનતા રેડ પાડીને નજીકના વિસ્તારના લોકો સાથે આમઆદમી પાર્ટી દ્વારા ચેકીંગ કરાતા સિમેન્ટ, રેતી ગુણવત્તાવાળી તથા અન્ય વસ્તુઓનો કાયદેસર નિયમ મુજબ ઉપયોગ ના થતો હોય, આવા કામોમાં ગુણવત્તાને અવગણીને ભ્રષ્ટાચાર થતો હોય, આમઆદમી પાર્ટી દ્વારા આવા કામોના બિલો ના ચૂકવવા તથા કામોની પૂરી તપાસ આમઆદમી તથા સ્થાનિક લોકોની હાજરીમાં કરવા તથા રોડના કામોમાં યોગ્ય નિયમ મુજબનું મટિરિયલ વાપરીને ફરીથી રોડ બનાવવા માંગ કરી છે.
પાલિકાના અધિકારીઓ અને બોડીને કડદા પાર્ટી જેમ કામ કરતા હોવાનું કહીને દરેક કામોમાં તપાસ થશે તેમ પણ કહેવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial