Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧.૧૫ લાખના વળતરનો પણ હુકમઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક યુવતીના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા ત્યારે તેણી અઢી તોલા સોનાના દાગીના સાથે લાવ્યા હતા. એક વર્ષ પછી તેણીએ છૂટાછેડા મેળવ્યા હતા. તે દરમિયાન પતિએ જાણ બહાર વેચી નાખેલા દાગીનાની રકમ રૂ।.૧ લાખ ૬૦ હજાર ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને રૂ।.૧ લાખ ૧પ હજાર વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા દીનાબેન બેચરભાઈ કટેશીયાના લગ્ન મનિષ જમનભાઈ પરમાર સાથે વર્ષ ૨૦૨૦માં થયા પછી દીનાબેનને સ્ત્રીધનમાં આવેલા સોનાના અઢી તોલાના દાગીના મનિષે વેચી નાખ્યા હતા. ત્યારપછી એક વર્ષના અંતે બંને વ્યક્તિએ છૂટાછેડા લેતા દાગીનાની કિંમત ચૂકવવા માટે મનિષે ત્રણ વર્ષ પછીનો ચેક આપ્યો હતો.
તે ચેક પાકતી મુદ્દતે બેંકમાં રજૂ થતાં પરત ફર્યાે હતો. ચેક આપતી વખતે મનિષ પરમારે નોટરી સમક્ષ લખાણ પણ કરી આપ્યું હતું. ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ચેક ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા રૂ।.૧ લાખ ૧પ હજાર વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ન ચૂકવાય તો વધુ ચાર મહિનાની કેદનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial