Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પાંજરાપોળને મકર સંક્રાંતિ પર્વે ઉદાર હાથે દાન આપવા દાતાઓને અપીલ

છોટીકાશીની સૌથી જુની ૧૧૦૦ ગાયોને નિભાવ કરતી ૧૫૧ વર્ષ જુની સંસ્થાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે ૧૫૧ વર્ષ જુની છે. ત્યાં ૧૧૦૦ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ - વૃદ્ધ - સુરદાસ  બીમાર તથા માતા વગરના ગાયોના નાના બચ્ચાઓને રોજ દૂધ પિવડાવીને વર્ષોથી નિભાવ કરવામાં આવે છે.

જામનગરની પાંજરાપોળ ગૌશાળામાં ગાય માતાને જુદા જુદા વાડામાં રાખવામાં આવે છે. બીમાર-સુરદાસ - અપંગ - વૃદ્ધ -નાની વાછરડીના વાડા અલગ તથા તેના માટેનો ખોરાક પણ નિયમિત લીલુ-મકાઈ-ગોળ-ખોળ કપાસીયા તમામ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. ગૌશાળામાં ૨૪ કલાક વર્ષોથી પશુ ચિકિત્સકની સેવા મળે છે. જામનગર શહેર અને જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થા તથા બહોળા પ્રમાણમાં સેવાભાવી દાતાઓ છે. તે સર્વેને વિનંતી કે એકવાર રૂબરૂ પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લો, ફેમિલી સાથે સર્વને બતાવો કે પાંજરાપોળમાં ગાયોનો નિભાવ કઈ રીતે થાય છે.

આ ઉપરાંત જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે, જામનગર જિલ્લામાં લાલપુર તાલુકામાં આવેલા નાના ખડબા ગામમાં પણ બીજી પાંજરાપોળ ગૌશાળા  વર્ષોથી કાર્યરત છે. આ બંને ગૌશાળા ૧૫૧ વર્ષથી હજારો અબોલ મુંગા જીવોનો આજીવન નિભાવ કરતી સંસ્થા છે. જેમાં બારેમાસ સેંકડો નિરાધાર પશુઓ અકસ્માતમાં ધવાયેલા પશુઓને વિના મૂલ્યે સારવાર અપાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનો પર્વ આપણા માટે ખૂબ જ મોટો તહેવાર તો છે જ. પણ સાથે આપણા જીવનમાં પુણ્યનું ભાથુ ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાંતિદાન ગાય માતા માટે કેટલું અમૂલ્ય છે કે જેનાથી મુક પ્રાણીને ખોરાક - પાણી - સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળામાં હવા ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહિને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.

આ સાથે જામનગરના પાંજરાપોળના સંચાલકો દ્વારા છોટી કાશીના સર્વે દાતાઓને અપીલ કરવામાં આવે છે કે જામનગર પાંજરાપોળ ગૌશાળા લીમડાલાઇન ભુમિ પ્રેસની સામે આવેલી છે. જયાં આપણા સર્વે પિતૃ માટે મકર સંક્રાંતિના દિવસે ગાયોને  દાન આપવા સર્વેને અપીલ છે.

આ જીવન ગૌ દાન માટેનું આયોજન

(૧) જામનગરની પાંજરા પોળમાં આજીવન ગૌ દાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આપ આપના પિતૃઓની પુણ્યતિથિ, જન્મ દિવસ, શુભ પ્રસંગ, ઘરનું વાસ્તુ માટે આજીવન દાન રૂ।. ૧૧,૧૧૧/- આપવા થી તેના વ્યાજની રકમમાં જ આપે આપેલી તિથિના દિવસે ગાયોને ઘાસ ચારો આપના પરિવારના હસ્તે નાખવામાં આવશે તેમજ પાંજરાપોળના કાયમી બોર્ડ પર દાતાઓનું નામ પણ રહેશે.

(૨) સંસ્થાની ઓફિસમાં કાયમી ફોટો તથા તિથિ દાનના રૂ।. ૨૫,૦૦૦/-નું દાન નક્કી કરાયું છે.

(૩) ગાય માતાને લીલો ચારો, ખોળ-ગોળ, કપાસીયા, લાડું નું દાન પક્ષી માટે ચણનું દાન, બીમાર ગૌવંશ માટે દવાનું દાન આપવાથી માતા પિતા તેમજ સર્વે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

(૪) જામનગરની પાંજરા પોળના સંચાલકો દ્વારા શહેરના શ્રેષ્ઠીગણ દાતાશ્રીઓને મકરસંક્રાંતિના દિવસે બહોળા પ્રમાણમાં દાન આપવા માટે તેમજ ગૌ શાળામાં આપના બાળકોને ગાયમાતાના આર્શિવાદ લેવા અચૂક પધારવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh