Advertisement
Author: નોબત સમાચાર

કચરો લેવા માટેનું વાહન નહીં આવતા લોકોએ જાહેરમાં કચરો ફેંક્યો

જામનગરમાં વોર્ડ નં. ૧ ની સમસ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના વોર્ડ નં. ૧માં કચરો લેવા માટેનું વાહન નિયમિત નહીં આવતું હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામી રહી છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નિંભર તંત્ર દાદ આપતું નથી. આથી, લોકો જાહેરમાં કચરો ફેંકીને વિરોધ કરી રહ્યા છે. જામનગરના વોર્ડ નં. ૧માં રહેતા સામાજિક કાર્યકર અનવર સંઘારએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટેનું વાહન સદંતર અનિયમિત છે. તા. ૮ ના પણ વાહન આવ્યું નહોતું, આ બાબતે ફરિયાદ કરતા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. જો હવે નિયમિત રીતે કચરો લેવા માટેનું વાહન નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh