Advertisement
Author: નોબત સમાચાર

અખાત્રીજના પાવન દિવસે જામસાહેબના હસ્તે નિર્માણાધિન મંદિરનો શિલાન્યાસ

જામનગરના ૫.નવતનપુરીધામ ખીજડા મંદિરનું થશે નવનિર્માણ

જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આદ્યપીઠ પ. નવતનપુરી ધામ ખીજડા મંદિર ૪૦૦ વર્ષ જુનું છે. આ મંદિરને ભૂકંપ સમયે અને કાળાંતરે નુકસાન થયું હતું અને ખૂબ જ જિર્ણ હાલતમાં આવી ગયું હતું. વચ્ચે આ મંદિરનું રીનોવેશન કરાયું હતું, પણ હવે આ મંદિરનું સંપૂર્ણ નવનિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અખાત્રીજના પાવન દિવસે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યાસિંહજીના હસ્તે નિર્માણાધિન મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ શિલાન્યાસ સમારોહમાં પ નવતનતુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ, પ મહામંગલપુરી ધામ, સુરતના ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ, સદાનંદજી મહારાજ, અમૃતરાજજી મહારાજ, જગતરાજજી મહારાજ, ટહલકિશોરજી મહારાજ, અન્ય સંતો-મહંતો, મોટી સંખ્યામાં સુંદરસાથજી, ભાવિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh