Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાકડાના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના ઉસેડાયાઃ
જામનગર તા. ૨૭: જામનગર નજીકના જામવંથલી ગામમાં એક ખેડૂતના મકાનમાં સપ્તાહ પહેલાં સવારથી બપોર સુધીના સમયમાં કોઈ તસ્કરો ઓસરીના દરવાજાનંુ તાળુ તોડી અંદર ઘૂસ્યા પછી કબાટમાંથી રૂ.૫૮ હજારના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા છે.
જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા હાર્દિકભાઈ વલ્લભભાઈ બોરીચા નામના ખેડૂતના ગઈ તા.૧૭ના દિને સવારે છ વાગ્યાથી બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાં ચોરી થઈ છે.
કોઈ તસ્કરો આ મકાનમાં ઘૂસ્યા પછી ઓસરીમાં રહેલા દરવાજાના તાળાને કોઈ હથિયારથી તોડી નાખી પ્રવેશ કરી ગયા પછી અંદર રાખવામાં આવેલા લાકડાના કબાટમાંથી રૂ.૫૮ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના ઉસેડી ગયા છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હાર્દિકભાઈ બોરીચાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial