Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરાના ટ્રસ્ટમાં ગોલમાલના આરોપમાં ઝડપાયેલા બે આરોપીની જામીન અરજી રદ્દ

અન્ય ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વગર વ્યવહાર કરાયાની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના કનસુમરામાં ટ્રસ્ટના કરોડો રૂપિયાની ગોલમાલ કરવાના નોંધાયેલા ગુન્હામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ચાર્જશીટ થયા પછી આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી છે.

જામનગર નજીક કનસુમરા ગામમાં ગ્રામ સમસ્તની માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર જમીન ત્રણ દાયકા પૂર્વે સંપાદનમાં જતા તે સમયે રચવામાં આવેલા ટ્રસ્ટમાં રૂ.રર કરોડ જમા કરાવવામાં આવ્યા હતા.

ત્યારપછી ટ્રસ્ટમાંથી કરોડોની રકમ અન્ય ટ્રસ્ટોમાં ડોનેટ કરી દેવાઈ હતી અને જુદા જુદા ખર્ચા બતાવી કરોડોની રકમ વાપરી નાખવામાં આવતા કનસુમરાના ઈરફાન ઈસ્માઈલ ખીરાએ પંચકોશી એ ડિવિઝનમાં અરજી પાઠવી હતી અને તે અરજીના આધારે પોલીસે ટ્રસ્ટી કાસમ દોસમામદ ખીરાની ફરિયાદ પરથી અકરમ સલીમભાઈ ખીરા, અકરમ ઈસુબભાઈ ખીરા, અલ્તાફ જુસબભાઈ ખીરા, આમદ મામદભાઈ ખીરા, ઈકબાલ હારૂનભાઈ ખીરા, ઈસ્માઈલ હાસમભાઈ ખીરા, વલીમામદ દોસમામદભાઈ ખીરા, હુસેન સુલ્તાનભાઈ ખીરા અને હનીફ અલારખાભાઈ ખીરા વગેરે સામે આઈપીસી ૪૦૬, ૧૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ ગુન્હામાં આગોતરા જામીન મેળવવા તમામ આરોપીએ કોર્ટમાં અરજી કરતા તે અરજી નામંજૂર થઈ હતી અને આમદ મામદ તેમજ મનહર દયાગર ગોસાઈની ધરપકડ કરાઈ હતી. પોલીસે આઈપીસી ૪૧૧, ૪૧૩નો ઉમેરો કરી ચાર્જશીટ કર્યું હતું. ત્યારપછી બંને આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ દીપક ત્રિવેદી તથા મૂળ ફરિયાદીના વકીલ યુ.ડી. ચાવડાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓની અરજી નામંજૂર કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh