Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીક બોર્ડમાંથી કોઈ રીતે લાગ્યો વીજશોર્ટઃ
જામનગર તા. ૨૭: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા ગામમાં ત્રણ સપ્તાહ પૂર્વે એક ખેડૂતને ઈલેકટ્રીક બોર્ડમાંથી વીજ આંચકો લાગતા તેઓ બેશુદ્ધ બની ગયા હતા. આ ખેડૂતનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતા પરસોત્તમભાઈ રાજાભાઈ કમાણી (ઉ.વ.૫૭) નામના ખેડૂતે એક ખેતર વાવવા માટે રાખ્યા પછી ગઈ તા.રના દિને તે ખેતરમાં કામ કરતા હતા ત્યારે આ ખેતરમાં બનાવવામાં આવેલી પતરાની ઓરડીમાં ઈલેકટ્રીક બોર્ડ પાસે ગયા ત્યારે કોઈ રીતે જોરદાર વીજ આંચકો લાગ્યો હતો.
વીજ આંચકો લાગવાના કારણે બેશુદ્ધ બની ઢળી પડેલા પરસોત્તમભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નિકુંજભાઈ કમાણીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial