Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આગામી ગુરૂવારે વિના મૂલ્યે નેત્રયજ્ઞ-દંતયજ્ઞ-સર્વરોગ નિદાન

શિવમ્ પેટ્રોલિયમ્ના સહયોગથી

જામનગર તા. રપઃ સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને ભરતભાઈ કુંડલિયા (શિવમ્ પેટ્રોલિયમ્-જામનગર) ના સહયોગથી નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૭/૩ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર શિવમ્ પેટ્રોલિયમ્, શરૂસેક્શન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશનના દર્દીને તપાસી કેમ્પ પૂરો થયે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh