Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતમાં બાઈકચાલકના મૃત્યુ અંગેના કેસમાં ડ્રાઈવરનો છૂટકારો

ફલ્લા પાસે થયો હતો અકસ્માતઃ

જામનગર તા.૨૫ : ફલ્લા પાસે પોણા બે વર્ષ પહેલાં એસટી બસની હડફેટે એક બાઈક ચાલક ચઢી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર-રાજકોટ માર્ગ પર ફલ્લા પાસે ગઈ તા.૪-૫-૨૩ના દિને એક બાઈકને એસટી બસે ઠોકર મારી હતી. બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્નીએ બસચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આ ગુન્હો બસ ડ્રાઈવરે આચર્યાે છે તેમ માની શકાય તેમ નથી તેવી દલીલ ગ્રાહ્ય રાખી એસટી બસચાલક સુરેશ રાજશી પરમારનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી બસના ચાલક તરફથી વકીલ કપિલ વશીયર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh