Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામલતદારનો હુકમ રાખવામાં આવ્યો યથાવતઃ
જામનગર તા.રપ : લાલપુરના હરીપર ગામમાં આવેલી એક જમીનમાં જવાના રસ્તા પર કરાયેલુ દબાણ સ્વખર્ચે દૂર કરવા મામલતદાર દ્વારા હુકમ કરાયો હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ આ હુકમ પ્રાંત અધિકારીએ યથાવત રાખ્યો છે.
લાલ૫ુરના હરીપર ગામમાં મેહુલ કિશોરભાઈ સંઘાણીના દાદીની ખેતીની જમીનમાં આવવા-જવાનો રસ્તો વલ્લભ ભૂરાભાઈ ચાંગાણી પાસેથી જમીન વેચાતી લેનાર હીરાભાઈ રામાભાઈ ભરવાડે રે.સ.નં. ૧૧૧૫માંથી ધુણીયા ગામના માર્ગેથી આવેલો છે. તે બાબતે નોટીસ પ્રસિદ્ધ કરાવ્યા પછી રસ્તો બંધ થઈ જાય તે રીતે બાંધકામ કરી અડચણ ઉભી કરી હતી.
તેની સામે મેહુલ સંંઘાણીએ લાલપુરના મામલતદાર સમક્ષ કેસ કર્યાે હતો. તે ચાલી જતાં અડચણ સ્વખર્ચે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તે હુકમ સામે હીરાભાઈએ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ નોંધાવી હતી. અપીલ ચાલી જતાં પ્રાંત અધિકારીએ હુકમમાં હસ્તક્ષેપ કરવાનું કારણ જણાતંુ નથી તેમ તારણ આપી અપીલ નામંજૂર કરી છે. મેહુલ સંઘાણી તરફથી વકીલ જયેશ કારસારીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial