Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ ડેમના દરવાજા તારીખ ૩૦ના ખોલાશેઃ હેઠવાસના વિસ્તારોને ચેતવણી

દરવાજાની મરામત-બદલવાની કામગીરી થશે

જામનગર તા. ૨૫: જામનગર તાલુકાના ચંગા ગામ નજીકના રંગમતિ ડેમમાંથી તા. ૩૦ માર્ચના પાણી છોડવામાં આવનાર છે. આથી લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ડેમમાંથી છોડવામાં આવનાર પાણીમાંથી અમુક જથ્થો કેનાલ મારફત જામનગરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવનાર છે.

જામનગર તાલુકાના ચંગા ગામ નજીક આવેલ રંગમતિ ડેમના તમામ દરવાજાની બદલવાની અને રિપેર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આગામી તા. ૩૦ માર્ચના ૫૭ એમસીએફટી પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવશે. આથી હેઠવાસના ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવા નાગના, જુના નાગના અને નવાગામ (ઘેડ), વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા ઢોર ઢાંખરને નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.

આ મરામત કામગીરી બે માસ સુધી ચાલશે એટલે કે ચોમાસાની સિઝન પહેલા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે.

આ ૫૭ એમસીએફટી પાણીમાંથી પાણીનો અમુક જથ્થો કેનાલમાં છોડવામાં આવશે. જે પાણી કેનાલ વાટે જામનગરમાં રણમલ તળાવમાં ઠાલવાશે એટલે ચોમાસા પહેલા જ જામનગરમાં તળાવમાં પાણીનો મબલખ જથ્થો ઉપલબ્ધ હશે.

જો કે હાલ કેનાલમાં ગંદકી કચરો છે. તેની સફાઈ કામગીરી ચાલી રહી છે. પરંતુ તેની ગતિ ધીમી છે. ઉપરાંત ઉદ્યોગનું કેમિકલ્સવાળુ પાણી પણ કેનાલમાં છે. જો કે તંત્રએ ખુલાસો કર્યો છે કે કેમિકલ્સવાળુ પાણી ડાયવર્ટ કરાયું છે. આથી તે તળાવમાં આવશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh