Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરંભડાના પિતા-પુત્ર સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.ર૪ : મીઠાપુરમાં રહેતા એક પ્રૌઢે પોતાની પુત્રીના અભ્યાસ માટે સાડા ત્રણેક વર્ષ પહેલાં રૂ.સાડા સાત લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા પછી રૂ.૬ લાખ ૮૦ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ વ્યાજે પૈસા આપનાર પિતા-પુત્રએ ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઓખામંડળના મીઠાપુરમાં આવેલી ટાટા ટાઉનશીપમાં રહેતા નરેશભાઈ હિમતલાલ બાડમેરા નામના સોની પ્રૌઢે વર્ષ ૨૦૨૧ના જુલાઈ મહિનામાં આરંભડાની જયઅંબે સોસાયટીમાં રહેતા જય વિજયસિંહ દીપસિંહ વાઢેર તથા તેના પિતા દીપસિંહ વાઢેર પાસેથી હાથઉછીના પૈસા મેળવી દર મહિને રૂ.ર૪ હજાર વ્યાજપેટે ચૂકવવાનું ઠેરવ્યું હતું.
ઉપરોક્ત રકમ નરેશભાઈને પોતાની પુત્રીના અભ્યાસ માટે જરૂરી હતી તેથી રૂપિયા સાડા સાત લાખ ત્રણ ટકા લેખે ઉછીના લીધા હતા. આવી રીતે રૂ.૬ લાખ ૮૦ હજાર વ્યાજ પેટે ભરપાઈ કર્યા પછી પણ બે, ત્રણ મહિનાથી નરેશભાઈ વ્યાજ આપી શકતા ન હતા તેથી પિતા-પુત્રએ ગાળો ભાંડી ધમકી આપી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નરેશભાઈએ તેની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial