Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ.રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે
રાજકોટ તા. ૨૫: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નંબર ૦૯૪૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫થી રાજકોટથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૯.૨૭/૧૯.૨૯ કલાકે અને અંજાર સ્ટેશન પર ૧૯.૩૬/૧૯.૩૮ કલાક નો રહેશે તથા ૨૦.૫૫ કલાકે ભુજ પહોંચશે. તેમજ ટ્રેન નંબર ૦૯૪૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫ થી ભુજથી ૦૬.૫૦ કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૦૭.૧૮/૦૭.૨૦ કલાકે અને આદિપુર સ્ટેશન પર ૦૭.૨૯/૦૭.૩૧ કલાકનો રહેશે તથા ૧૩.૧૫ કલાકે રાજકોટ પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial