Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તથા ભાણવડના પોલીસ ઈન્સ્પેક્ટરની કરવામાં આવી બદલી

ચાર અધિકારીની એસપી દ્વારા બદલીઃ

ખંભાળિયા તા.રપ : દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચાર અધિકારીની બદલીનો ગઈકાલે એસપીએ હુકમ કર્યાે છે. લીવ રિઝર્વમાંથી બે પીઆઈને ફરીથી પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.જે. સરવૈયાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમને ફરી ખંભાળિયાના પીઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. કલ્યાણપુરના પીઆઈ કે.બી. રાજવીને પણ લીવ રિઝર્વમાં મૂકી દેવાયા હતા તેમને ભાણવડના પીઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

તે ઉપરાંત ભાણવડના પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ તથા ભાણવડના પીએસઆઈ કે.કે. મારૂને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયાના પીઆઈના ચાર્જમાં રહેલા  ચેતન દેસાઈને ફરીથી એલ આઈબીમાં મુકવામાં આવ્યા છે. પોલીસ સબ ઈન્સ. એન.એચ. જોશીને એલઆઈબીના ચાર્જમાંથી મુક્ત કરી રીડર ટુ એસપીના કે.એમ. જાડેજાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh