Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના એરપોર્ટ ઉપર ગઈકાલે મુંબઈ ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને એસ્ટ્રોલોજરનું આગમન થયું હતું. તેઓ જામનગરના વિમાન મારફતે ઉતર્યા પછી મોટર મારફત વનતારા જવા રવાના થયા હતાં. જામનગરના મોટી ખાવડીની રિલાયન્સના વનતારામાં દેશ-વિદેશના પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે અને તેને નિહાળવા એક પછી એક મહાનુભાવોનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં. આ પછી શ્રી શ્રી રવિશંકર અને ત્યારપછી બાગેશ્વર ધામના બાબા પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીજી પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં. આ પછી ચારેક દિવસ પહેલા જાહાન્વી કપૂર અને ત્યારપછી સલમાન ખાનનું જામનગર એરપોર્ટ ઉપર આગમન થયું હતું. ગઈકાલે સલમાન ખાન જામનગરથી પરત મુંબઈ જવા માટે રવાના થયા હતાં. જ્યારે ગઈકાલે જ એસ્ટ્રોલોજર ભરત જગમોહન મહેરા અને મુંબઈ ઈન્ડિયન ક્રિકેટ ટીમનું જામનગર એરપોર્ટ ઉપર આગમન થયું હતું. જેમાં રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામનેે મોટર માર્ગે વનતારા લઈ જવાયા હતાં જ્યાં આજે તેમની મુલાકાત ચાલી રહી છે. આમ જામનગર એરપોર્ટ ઉપર દરરોજ જુદા જુદા મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial