Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહીદોને બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અપાઈઃ
જામનગર જિલ્લા હોગાર્ડઝમાં તાજેતરમાં નવનિયુક્ત ઓફિસરો પ્રદ્યુમનસિંહ ગોહિલ, યોગેશ જોષી. જીગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને સુહિત મેતાની પિપિઈં સેરેમની જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં યોજવામાં આવી હતી. જેમાં નવી રેન્ક ધારણ કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવીને અધિકારીઓની જવાબદારીઓ વિષે જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચૂસ્તપણે અમલ કરવા સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત શહીદ દિવસ હોવાથી દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શહીદો માટે બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લાના તમામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ, સ્ટાફ ઓફિસરો, વહીવટી સ્ટાફ અને બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial