Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણજીતસાગરમાં બીછાવાયેલી મસમોટી માછીમારીની ઝાળ કબજે લેવાઈ

ગેરકાયદે માછીમારી થતી હોવાની માહિતીના આધારે

જામનગર તા. રપઃ જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી થતી હોવાની માહિતીના આધારે મહાનગરપાલિકાની ટૂકડીએ ગઈકાલે ચેકીંગ કર્યું હતું અને ડેમમાં બિછાવેલી મસમોટી માછીમારીની ઝાળ કબજે કરી હતી. આ ઝાળ એટલી મોટી હતી કે તેને કાપીને ચાર કટકા કરવામાં આવ્યા હતાં અને બોટમાં ચાર ફેરા કરવાની ફરજ પડી હતી.

જામનગર શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા રણજીતસાગર ડેમમાં રાત્રિના સમયે ગેરકાયદે પાછીમારીની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મહાનગરપાલિકાને મળી હતી. આથી ગઈકાલે બપોરે મહાનગરપાલિકાની સિક્યોરીટી શાખાના અધિકારી સુનિલ ભાનુશાળી પોતાની ટીમ અને ફાયર શાખાની ટૂકડી સાથે રણજીતસાગર ડેમ પાસે પહોંચ્યા હતાં, અને ફાયર શાખાની રેસ્ક્યુ બોટ મારફત આ બન્ને ટૂકડીઓ રણજીત સાગરના પાણીમાં દૂર સુધી પહોંચ્યા હતાં જ્યાં પાણીમાં મોટી એટલે કે આશરે બે કિ.મી. લંબાઈની ઝાળ મળી આવી હતી અને તેમાં માછલા પણ ફસાયેલા જોવા મળતા આ માછલાને ઝાળમાંથી કાઢીને પાણીમાં મૂક્ત કરવામાં આવ્યા હતાં. આ પછી ઝાળને કાપીને ચાર ટુકડા કરાયા હતાં અને તેને બોટ મારફત ચાર ફેરા કરીને કાંઠે લાવવામાં આવ્યા હતાં. હાલ તો આ ઝાળ કબજે લેવામાં આવી છે, અને મહાનગરપાલિકાએ તપાસ પણ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh