Advertisement
Author: નોબત સમાચાર

કુન્નડ ગામમાં ટ્રેક્ટર ધોતી વખતે વીજ આંચકો લાગતા શ્રમિકનું નિપજ્યું મૃત્યુ

મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:

જામનગર તા.૨૫ : જોડિયાના કુન્નડ ગામમાં ખેત મજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતીય શ્રમિક ગઈકાલે સાંજે ટ્રેક્ટર ધોતા હતા ત્યારે કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં આવેલા દયાળજીભાઈ કાલાવડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના વતની કનેશ અનસીંગ ડામોર (ઉ.વ.ર૪) નામના શ્રમિક હાલમાં ખેતરમાં વાવેતર કરાયું ન હોવાથી ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતા હતા.

તે દરમિયાન ગઈકાલે ટ્રેક્ટર ચલાવ્યા પછી સાંજે પરત આવેલા કનેશ ડામોરે વાડામાં ટ્રેક્ટર મૂક્યા પછી તેને ધોવાનું શરૂ કર્યું હતું. આ વેળાએ કોઈ રીતે આ યુવાનને વીજ આંચકો લાગતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કનેશ ડામોરને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેના પિતા અનસીંગ ખીમરાભાઈ ડામોરે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh