Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરૂણા અભિયાન હેઠળ સારવાર કરાઈઃ
જામનગરમાં ગઈકાલે પતંગ રસિયાઓએ આકાશમાં પતંગ ચગાવી મોજ માણી હતી, પરંતુ અમુક કેસમાં મજાથી નિર્દોષ જીવને સજા ભોગવવી પડી હતી.
કુલ પ૧ પક્ષીઓને ઈજા થતા કરૂણ અભિયાન અન્વયે સારવાર માટે લઈ જવાયા હતાં. આ બનાવોમાં એક કબૂતરનું મૃત્યુ થયું હતું, જ્યારે બે પક્ષીઓને ગગનમાં છોડી દેવાયા છે, બાકીના પક્ષીઓ સારવાર હેઠળ છે.
ગઈકાલે મંગળવારે ઉત્તરાયણ, મકરસંક્રાંતિ પર્વની લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. અગાસી, ધાબા ઉપરથી લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની મજા કરી હતી, પરંતુ લોકોની મજા એ નિર્દોષ-અબોલ જીવ માટે સજા બની હતી, કારણ કે ગઈકાલે પ૦ થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતાં. તેમને કરૂણા અભિયાન હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.
ગઈકાલે દિવસ દરમિયાન કુલ પ૧ પક્ષીઓ ઘાયલ અવસ્થામાં સારવાર માટે લઈ જવાયા છે, જેમાં ૪પ કબૂતર, બે કોકણસાર, એક ટિટોડી, બે પોપટ એક પીળી ચાંચ ઢોંક વગેરેનો સમાવેશ થાય છે.
ઘાયલ કબૂતરોમાંથી ૩૧ કબૂતરને ઠેબા અને ૧૧ કબૂતરને સાંઈધામ સંસ્થા (નવાગામ ઘેડ) માં લઈ જવામાં આવ્યા હતાં તથા ત્રણને ખીજડિયા વર્ડ હોસ્પિટલમાં લઈ જવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial