Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ગોમતીઘાટ પાસે પથ્થર વચ્ચેથી માનસિક બીમાર યુવાનનો સાંપડ્યો મૃતદેહ

પોલીસે ઓળખ મેળવી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: દ્વારકાના જગતમંદિર નજીક ગોમતીઘાટ પાસે કાળમીંઢ પથ્થરો વચ્ચેથી ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન માનસિક બીમારીનો ભોગ બનેલા હોવાનું ખૂલ્યું છે.

દ્વારકા શહેરમાં આવેલા જગતમંદિર નજીકના ગોમતીઘાટ પાસે સમુદ્ર કિનારે સંગમ નારાયણ મંદિર નજીક પથ્થરો વચ્ચેથી ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

ઉપરોક્ત મૃતદેહ કોઈએ નીહાળ્યા પછી પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ માટે તજવીજ શરૂ કરી હતી. જેમાં મૃતક મૂળ મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના નારગઢ ગામના રામકરણ જગનાથ મેઘવાલ (ઉ.વ.૩૮) હોવાનું ખૂલ્યું છે. આ યુવાન ગોમતીઘાટમાં સ્નાન કરવા માટે ઉતર્યા પછી સમુદ્ર તરફ તણાઈ ગયાની આશંકા સેવાઈ રહી છે.

આ બાબતે દ્વારકાની નરસંગ ટેકરીમાં રહેતા રાયાભા વિસાભા સુમણીયાનંુ પોલીસે નિવેદન નોંધ્યું છે. જાણવા મળ્યા મુજબ આ યુવાન બેએક મહિનાથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. તે પછી ગુરૂવારે રાત્રે સ્નાન કરવા માટે ગોમતીઘાટેથી અંદર ઉતર્યા પછી તેઓ ડૂબી ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh