Advertisement
Author: નોબત સમાચાર

વાહન અથડાઈ ગયું હોવાનું કહી નુકસાની માંગી બાઈકચાલકને બે શખ્સે માર માર્યાે

ભરબપોરે હિરજી મિસ્ત્રી રોડની ઘટનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના હિરજી મિસ્ત્રી રોડથી આગળ ગુરૂવારે બપોરે એક બાઈકચાલકને ડબલસવારીમાં આવેલા મોટરસાયકલે આંતરી લઈ અકસ્માત સર્જયાની વાતો કરી નુકસાનીની રકમ માંગ્યા પછી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે બે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં પાણીના ટાંકા પાસે રહેતા મહેન્દ્રસિંહ ભગવાનજી ઝાલા નામના યુવાન તેમના કાકાના દીકરાના ઘેર જવા માટે ગુરૂવારે બપોરે જનતા ફાટકથી ગોકુલનગર તરફ જવાના રસ્તા પર પેટ્રોલપંપ પાસેથી મોટરસાયકલમાં જતા હતા.

તેઓ પેટ્રોલપંપથી આગળ પહોંચ્યા ત્યારે પાછળથી ડબલસવારીમાં આવેલુ એક બાઈક આડુ ફર્યું હતું. તેમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સે નજીક જઈ તમારા મોટરસાયકલના અથડાવવાથી અમારા મોટરસાયકલમાં નુકસાન થયું છે. તેના પૈસા આપો. તેમ કહી પૈસાની માગણી મૂકી હતી પરંતુ મહેન્દ્રસિંહે મારૂ વાહન કોઈ સાથે અથડાયું નથી તેમ કહેતા આ શખ્સો ઉશ્કેરાયા હતા.

ત્યારપછી ગાળો ભાંડી આ બંને અજાણ્યા શખ્સે ઢીકાપાટુથી હુમલો કરી મહેન્દ્રસિંહને માર માર્યાે હતો અને બીજીવાર આ બાજુ દેખાયો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી કેટલાક સીસીટીવીના ફૂટેજ ચકાસી આરોપીઓના સગડ દબાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh