Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલહવાલે કરવાનો આદેશઃ
જામનગર તા. ૩: જામનગરના નગરસેવક પર જીવલેણ હુમલો કરવાના નોંધાયેલા ગુન્હામાં ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધા પછી ત્રણેયને જેલહવાલે કરાયા છે.
જામનગરના લાલબંગલા વિસ્તારમાંથી પસાર થતાં વોર્ડ નં.૧રના કોર્પોરેટર અસલમ ખીલજીને પાછળથી આવેલી મોટરે ટક્કર મારી સ્કૂટર પરથી પછાડ્યા પછી પાંચ શખ્સે તેમના પર તલવાર, ધોકા, પાઈપથી જીવલેણ હુમલો કર્યાે હતો. આ હુમલો વોર્ડ નં.૧રના જ કોર્પોરેટર અલ્તાફ ખફીના ઈશારે કરાયો હોવાનું અને પાંચ શખ્સોએ જીવલેણ ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આરોપી પૈકીના જુનેદ રઝાક ચૌહાણ, સલીમ ખીલજી, હબીબ ખફીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓને જેલહવાલે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial