Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર-રાજ્ય અને અન્ય મહાનગરપાલિકાઓની જેમ
જામનગર તા. ૪: જામનગર મહાગનરપાલિકા દ્વારા હાલ બજેટની તૈયારીઓ ચાલતી હશે, જ્યારે બજેટ અંગે ખરેખર તો લોકો પાસેથી સૂચનો-મંતવ્યો મંગાવવા જોઈએ, તેમ નગરના બુદ્ધિજીવીઓ જણાવી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ માસના અંતે વર્ષ ર૦ર૬-ર૦ર૭ નું વાર્ષિક અંદાજ પત્ર મ્યુનિ. કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે, જો કે આ પ્રક્રિયા દર વર્ષ થતી હોય છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા લોકો પાસેથી બજેટ અંગેના સૂચનો મંગાવવામાં આવતા નથી. હકીકતે મહાનગરપાલિકાએ નગરજનો પાસેથી બે માસ પહેલા સૂચનો મંગાવવા જોઈએ. જેથી મહાનગરપાલિકાને વેરામાં વધારો-ઘટાડો કરવા માટે નવા નવા વિચારો મળી રહે. જેનાથી મહાનગરપાલિકાને સાથોસાથ લોકોને પણ ફાયદો થઈ શકે, પરંતુ જામનગર મહાનગરપાલિકા ખુદ એટલી સક્ષમ છે જેને લોકોના સૂચનોની કોઈ જરૂર રહેતી નથી. તેવું કામગીરીથી ફલિત થાય છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપરાંત રાજ્યની અમુક મહાનગરપાલિકા દ્વારા લોક મંતવ્યો મંગાવવામાં આવે છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા પાસે આવો સમય નથી, અને લોકો ઉપર અધિકારી દ્વારા તૈયાર કરાયેલા અંદાજો લાદી દેવામાં આવે છે, જો કે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવતા હોય છે, અને એ પછી સામાન્ય સભામાં બજેટ અન્વયે વિપક્ષ ચર્ચા કરતું હોય છે, પરંતુ વિપક્ષનું તો ક્યારેય કોઈ સૂચન અમલમાં મૂકવામાં આવતું જ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial