Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિટ એન્ડ રનના બનાવની પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગર-ખંભાળિયા રોડ પર દાતા ગામની ગોળાઈમાં ગુરૂવારની રાત્રે ત્રિપલ સવારીમાં જતા એક બાઈકને પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી અજાણી મોટરે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક યુવાનને ઈજા થઈ છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા આરાધનાધામ નજીકના દાતા ગામની ગોળાઈમાંથી ગુરૂવારની રાત્રે સાડા બારેક વાગ્યે ખંભાળિયા શહેરના નવાપરામાં ચૂનારાવાસમાં રહેતા સુરેશભાઈ ભાણજીભાઈ પરમાર નામના યુવાનના ફૂઆ સુરેશભાઈ તથા સુરેશભાઈ પરમારના ભાણેજ સચિનભાઈ તેમજ ભત્રીજા નિલેશભાઈ પરમાર જીજે-૧૦-સીજે ૯૫૦ નંબરના મોટરસાયકલમાં પસાર થતા હતા.
તેઓને પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કોઈ અજાણી મોટરે ઠોકર મારતા ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં સુરેશભાઈ તથા નિલેશભાઈ પરમારના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. ઘવાયેલા સચિનભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરેશભાઈ પરમારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial