Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં ભાનુશાળી વાડમાં મંદિરો પાસે શરાબની ખાલી બોટલો મળતા આક્રોશ

ભાનુશાળી સમાજ તથા ભક્તોની લાગણીને ઠેસ પહોંચીઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' કહેવાતી ધર્મનગરી જામનગરમાં હવાઈચોક નજીક ભાનુશાળી વાડમાં ભાનુશાળી સમાજના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનું મંદિર આવેલ છે તથા નજીકમાં જ શ્રી જડેશ્વર મહાદેવ અને શ્રી રામ મંદિર પણ આવેલ છે. આ દેવાલયો પાસેથી આજે સવારે શરાબની ખાલી બોટલો મળતા ભક્તોની લાગણી દુભાઈ હતી. કોઈ અસામાજિક તત્ત્વ વહેલી સવારે મંદિરો બહાર આ બોટલો ફેંકી ગયું હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. સમગ્ર ઘટનાક્રમથી ભાનુશાળી સમાજ તથા મંદિરે આવતા દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આ દુષ્કૃત્ય કરનાર અસામાજિક તત્ત્વને શોધી પોલીસ કાર્યવાહી કરે એવી માગ ઊઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh