Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ કરી હતી અટકાયતઃ ઘૂસણખોરીના ઉદ્દેશ અંગે ચકાસણીઃ
જામનગર તા. ૩: જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧માં ભાડાના એક મકાનમાં વસવાટ કરતા બે પુરૂષ તથા ત્રણ મહિલાને એસઓજીએ પકડી પાડ્યા છે. આ વ્યક્તિઓ બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી લાંબા સમયથી જામનગરમાં રહેતા હોવાનું ખૂલ્યું છે. આ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ ભારતીય નાગરિક ન હોવા છતાં ત્યાં વસવાટ કરતા હોવાની વિગતો એસઓજીના પીએસઆઈ એ.વી. ખેર તથા પો.કો. કુલદીપસિંહ સોઢાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી એસઓજી ટીમે ગઈકાલે સવારે પટેલ કોલોની શેરી નં.૧૧માં સ્વસ્તિક માર્બલ નામની દુકાન સામે આવેલા ગુલામમયુદ્દીન અબ્દુલકરીમ ખાન ગાગદાણી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાંથી શાહબુદ્દીન મહંમદ ગૌષ શેખ, મહંમદઆરીફ મુઝીબર શેખ, જમીલા અનારદી શેખ તથા નઝમા અબ્દુલહકીમ અને મુર્સીદા મહંમદઆરીફ શેખ નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. આ વ્યક્તિઓ બાંગ્લાદેશના વતની હોવાનું ખૂલ્યું છે. તેઓની પાસે પાસપોર્ટ, વીઝા મળ્યા નથી તેથી તેઓ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઘૂસ્યા પછી જામનગરની પટેલ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાહબુદ્દીન તથા મહંમદઆરીફ ઉપરાંત ત્રણેય મહિલાની અટકાયત કરી તેઓના ભારત પ્રવેશ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ તેની વિગતો આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial