Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ મોબાઈલ બિહાર પહોંચી ગયા હતાઃ
જામનગર તા. ૩: જામનગરના ૧૪ આસામીના જુદા જુદા સમયે ખોવાઈ ગયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢી પરત સોંપ્યા છે. આ મોબાઈલમાંથી ત્રણ મોબાઈલ બિહાર અને એક મોબાઈલ ગાંધીધામ પહોંચી ગયો હતો. ત્યાંથી પોલીસ મોબાઈલ પરત લાવી છે.
જામનગરના દરેડ સહિતના વિસ્તારોમાંથી જુદા જુદા ૧૪ આસામીએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની જે તે વખતે પોલીસમાં જાણ કરતા પંચકોશી બી ડિવિઝન પોલીસે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી આ મોબાઈલ શોધવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
તે દરમિયાન દસ મોબાઈલના સગડ મળ્યા હતા અને ત્રણ મોબાઈલ બિહાર રાજ્યમાં તથા એક મોબાઈલ ગાંધીધામમાં એક્ટિવેટ હોવાનું જણાઈ આવ્યું હતું. અંદાજે રૂ।.૨,૫૯,૮૨૧ની કિંમતના આ મોબાઈલોને પોલીસે હસ્તગત કર્યા પછી તેના મૂળ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવી પરત સોંપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial