Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં ધાર્મિક દબાણ દૂર કરવાની નોટીસો પાછી ખેંચવા કોંગ્રેસની માંગણી

કલેક્ટરને અપાયું આવેદનપત્રઃ

ભાણવડ તા. ૬: ભાણવડ તાલુકાના ૬૯ ધાર્મિક દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલ નોટીસ અંગે ભાણવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે.

ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ વાવણોટિયા અને સભ્યોએ મામલતદાર મારફત કલેક્ટરને પાઠવેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધાર્મિક જગ્યાઓ ઘણી જુની છે. લગભગ પ૦ વર્ષ જુની છે. તે જગ્યા કોઈ નડતર રૂપ નથી. જુનાગામ તળ સમયની છે.

જો આ દબાણો દૂર કરવામાં આવશે તો કોંગ્રેસ ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન કરશે. આમ દબાણ દૂરવાની આપેલી નોટીસો પાછી ખેંચવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh