Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોનું સામાન્ય સભાનું જુનું બિલ્ડીંગ ખાલી કરીને તેની પાડતોડની કાર્યવાહી હાથ ધરાઈ

સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી હતીઃ મનપાને રૂ. બે લાખની આવક પણ થશેઃ

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાવાળુ જુનું બિલ્ડીંગ તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે જનરલ બોર્ડવાળો હોલ ખાલી કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્યસભાવાળી જુની ઈમારત જર્જરિત હોવાથી તેને તોડી પાડવા તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો હતો. જે અન્વયે મહાનગરપાલિકાને રૂ. બે લાખથી વધુની આવક થશે. જે દરખાસ્ત મંજુર થયા પછી આજથી આ ઈમારત તોડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારે પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવા આવ્યા પછી બોર્ડના રૂમમાંથી ખુરશી-ટેબલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારપછી બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh